જિલ્લાનાં કદાવર નેતાનુંનામ હંમેશા ગુંજતું રહેશે
સાવરકુંડલા પાલિકાનાં નવનિર્મિત ભવનને ‘‘નવિનચંદ્ર રવાણી”નાં નામકરણની ઔપચારિકતા પૂર્ણ કરાઈ
શહેરનાં ગરીબો માટે ઐતિહાસિક કામગીરી કરી હોય સૌ કોઈમાં ખુશીનો માહોલ
અમરેલી, તા. 9
અમરેલીનાં પૂર્વ સાંસદ, કોંગ્રેસનાં કદાવર અગ્રણી અને સાવરકુંડલા પાલિકાનાં પૂર્વ પ્રમુખ નવિનચંદ્ર રવાણીએ સાવરકુંડલા શહેરનાં સર્વાંગી વિકાસ માટે કરેલ ઐતિહાસિક કામગીરીની કદરરૂપે સાવરકુંડલા પાલિકાનાં નવનિર્મિત ભવનને ભભનવિનચંદ્ર રવાણીભભનાં નામ સાથે જોવાનો નિર્ણય થોડા દિવસો પહેલા થયો હતો. જે અંતર્ગત આજે નવનિર્મિત ભવનની નામકરણવિધિ આજે સંપન્ન થતાં શહેરનાં ગરીબો, વેપારીઓ, રાજકીય કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે.